એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Tuesday, May 19, 2015

વિચારધારા


 


ઇન્કલાબ લાવી તેની વિચારધારા

અંગાર એટલે તો યુગોના ઊંહકારા

 

વિચારનો મહિમા છે સદીનો સૂરજ

વિચારની વાણી છે ચંદ્ર ને સિતારા

 

આપી છે હાર તેણે યુગની પરંપરાને

મુક્તિ અનુભવે છે ભીંતોમાં જીવનારા

 

વ્યાપી હવાની જેમ સઘળે વિચારવાણી

પાવન થયા સમયના અદ્રશ્ય કિનારા

 

એળે નથી જતા જન્મો રિવાજ મુજબ

જીવાય છે હવે તો શ્વાસ એકધારા

No comments:

Post a Comment