એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

ચેતના



 
 

ચેતના આ સૂર્યવંશી છે અમારી

ઝંખનામાં ઝળહળે તે એકધારી

 

ભીંતમાં રસ્તો બતાવ્યો ચેતનાએ

ઉઘાડી સંકટ સમયમાં તે જ બારી

 

ફેંકશું દરિયામહીં લાચારીઓને

ચેતના સાચે જ આવી છે ખુમારી

 

સંત શું? પાખંડીઓ છે ને છે ધૂતારા  

ચેતનાએ તેમની સત્તા નકારી

 

ચેતનાએ શબ્દ આપ્યો છે તપાવી

ને ઘડાઈ  છે કવિતા ક્રાંતિકારી


 

No comments:

Post a Comment