તુચ્છ મચ્છર જેમ જીવીને મરે આ માણસો
એમ લાગે કે અમસ્તા અવતરે આ માણસો
ઉંચકે માથું પશુ પણ પારખી ભયની દિશા
એટલું પણ કામ કયાં હકથી કરે આ માણસો?
નાં બચે ભૂમિ કદાચિત બાંધવા માટે ઘરો
ચોતરફ મંદિર મસ્જિદ પાથરે આ માણસો
સામટા વિનાશનું કારણ ગણાવે છે છતાં
એ જ એટમને બગલમાં લઇ ફરે આ માણસો
આવનારો કોક મૂકીને જતો સૂરજ નવો
નહિ તો જન્મે એ જ અંધારે મરે આ માણસો
No comments:
Post a Comment