એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Monday, May 4, 2015

આ માણસો




તુચ્છ મચ્છર જેમ જીવીને મરે માણસો
એમ લાગે કે અમસ્તા અવતરે માણસો

ઉંચકે માથું પશુ પણ પારખી ભયની દિશા
એટલું પણ કામ કયાં  હકથી કરે માણસો?

નાં બચે ભૂમિ કદાચિત બાંધવા માટે ઘરો
ચોતરફ મંદિર મસ્જિદ પાથરે માણસો

સામટા વિનાશનું કારણ ગણાવે છે છતાં
એટમને બગલમાં લઇ ફરે માણસો

આવનારો કોક મૂકીને જતો સૂરજ નવો
નહિ તો જન્મે અંધારે મરે માણસો

No comments:

Post a Comment