એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Monday, November 24, 2014

પ્રતિકાર





હોવાપણાનો ભાર નથી લાગતો હવે,
માણસ  હું બંધિયાર નથી લાગતો હવે.

ચર્ચાનો સૂર એ જ કે માણસ છકી ગયો ,
હા,આજ તાબેદાર નથી લાગતો હવે.

કાંતી રહ્યો છું એમ હયાતીનો રેંટિયો,
નક્કામો કોઈ તાર નથી લાગતો હવે.

આવી ગયો છું આજ સમયના પરિઘમાં ,
દ્રશ્યોની બહાર નથી લાગતો હવે.

જોઈ શક્યો મને હું યુગો સુધી,
દર્પણમાં અંધકાર નથી લાગતો હવે.

મેં શબ્દ સજ્જતાય ઉમેરી પ્રહારમાં ,
નિશસ્ત્ર પ્રતિકાર નથી લાગતો હવે.

No comments:

Post a Comment